home share

કીર્તન મુક્તાવલી

(૧) જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

‘લોભ તજી હરિને ભજે’

... આ અરસામાં રમેશભાઈ દલાલ અમદાવાદથી ઈન્દોર તેમના પિતાશ્રી પાસે જઈ રહ્યા હતા. એ વખતે વડોદરાથી વહેલી સવારે ૫ વાગે ટ્રેન મળે. તેથી આગલે દિવસે સાંજે તેઓ અટલાદરા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને દંડવત્ કરીને બેઠા. શાસ્ત્રીજી મહારાજે પૂછપરછ કરીને આશીર્વાદ આપ્યા.

એવામાં યોગી મહારાજ આવ્યા. રમેશભાઈએ તેમને બીજે દિવસે સવારે વહેલા ઈન્દોર જવાનું છે તે વાત કરી. ત્યારે યોગી મહારાજે પૂછ્યું, “રસ્તામાં ભાતું લીધું છે?”

રમેશભાઈએ કહ્યું, “સ્વામી! જરૂર નહીં પડે.”

યોગી મહારાજ આ સાંભળી મર્મમાં હસ્યા.

બીજે દિવસે વહેલી સવારે ૩ વાગે સ્નાનાદિકથી પરવારીને યોગી મહારાજે દૂધમાં પૂરી, બટાકાની સૂકીભાજી વગેરે તૈયાર કર્યું. હજુ તો રમેશભાઈ શાસ્ત્રીજી મહારાજનાં દર્શને ગયા ત્યાં યોગી મહારાજ ભાતું તૈયાર કરીને પાછળ આવ્યા. રમેશભાઈને ભાતાની ટોપલી આપતાં કહ્યું, “રમેશભાઈ! રસ્તામાં આ પ્રસાદી જમી લેજો.”

તેઓ આનાકાની કરતા રહ્યા અને યોગી મહારાજે પ્રેમથી તે ટોપલી રમેશભાઈને આપી દીધી. તેઓ જ્યારે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે જતા, ત્યારે યોગી મહારાજ તેમના ખબર-અંતર પૂછે, જમાડે, રમાડે, અને રમૂજ કરાવે. એમ અત્યંત વાત્સલ્ય વરસાવે. આજે પણ યોગી મહારાજનો માતા જેવો પ્રેમ નીરખી રમેશભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે:

‘વળી સમે સમે સંભાળ જાણો કરે હરિજનની રે,

એવું બીજું કોણ દયાળ, કાં રે મનાય નહીં મનને રે.’

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧]

(1) Je je Harie karyu het evu kare koṇ āpṇe re

Sadguru Nishkulanand Swami

... during this time, Rameshbhai Dalal was going to see his father in Indore from Amdavad. The train arrived at 5 am. The previous day, he came to Atladra to see Shastriji Maharaj. He prostrated before him and sat before him. They talked some and Swami gave him āshirvād.

Yogiji Maharaj arrvied. Rameshbhai mentioned that he has to go to Indore early in the morning. Yogiji Maharaj asked, “What have you taken to eat for the train ride?”

Rameshbhai said, “It will not be necessary to take anything.”

Yogiji Maharaj laughed purposely.

The next day, Yogiji Maharaj woke up at 3 am, got ready and prepared puris, dry bhāji, and other items ready. Before Rameshbhai could even reach Shastriji Maharaj for darshan, Yogiji Maharaj had food ready in a basket for his travel. Giving it to Rameshbhai, Yogiji Maharaj said, “Rameshbhai, eat this on the way.”

Ramesbhai politely tried to decline, but was defeated by Yogiji Maharaj’s love. Whenever he went to Shastriji Maharaj, Yogiji Maharaj would ask about his welfare. He would feed him and talk to him jovially. He showered the love of a mother on him. Today, seeing the same love, Rameshbhai’s eyes became watery.

Nishkulanand Swami wrote:

Vaḷī same same sambhāḷ, jāṇo kare harijan ne re;

 Bīju evu koṇ dayāḷ, kā re manāy nahi manne re...

[Brahmaswarup Yogiji Maharaj: Part 1]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase